Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં સ્મશાનગૃહ પાસે જ અદ્યતન પ્રાર્થનાહોલનું થશે નિર્માણ

નગરપાલિકા દ્વારા રૂ।. ૧.૮૦ કરોડના ખર્ચે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: ખંભાળીયા શહેરમાં અંતિમ પ્રસંગ પ્રાર્થનાસભા બેસણું કરવા માટે હાલ જલારામ મંદિર તથા શરણેશ્વર મંદિરે પ્રાર્થનાસભા થાય છે, પણ બંને સ્થળો નાના હોય અને વાહનોના પાર્કિંગ તથા અવર-જવરની પણ સમસ્યા રહેતી હોય પાલિકા દ્વારા ખંભાળીયામાં સ્મશાન પાસે સંતોષી માતાજીના મંદિર પાસે રૂ।. ૧.૮૦ કરોડના ખર્ચે વિશાળ અદ્યતન પ્રાર્થનાહોલનું કામ પાલિકા દ્વારા શરૂ કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

અગાઉ પણ પાલિક દ્વારા સ્મશાનની પાસે જ પ્રાર્થના હોલ બનાવવાનું નક્કી પણ કરાયેલું અને ઠરાવ પણ થયેલા, પરંતુ તત્કાલીન સમયમાં આગેવાન સ્વ. નટુભાઈ ગણાત્રા દ્વારા ઉપવાસ આંદોલન કરતા આ પ્રોજેકટ પડતો મુકાયો હતો. તે પછી તાજેતરમાં સંતોષી માતાજી મંદિર પાસે દબાણમાં મોટી સરકારી જમીન ખુલ્લી થતા આ જગ્યા પાસે પ્રાર્થના હોલ બનાવવાનું શરૂ થયું છે. જેથી લોકોને પ્રાર્થનાસભામાં સાંકડી જગ્યા, વાહનો પાર્કિંગ તથા ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh