Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારનું કામ કરતા આસામીને કરાઈ સજાઃ
જામનગર તા. ૭: જામનગરના એક આસામી પાસેથી શેરબજારનું કામ કરતા આસામીએ રૂ।.૨૦ લાખ હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે આપેલા છ ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદમાં અદાલતે દરેક કેસમાં બે-બે વર્ષની કેદ ફટકારી છે.
જામનગરમાં નિઓ સ્કવેર નામની ઈમારતમાં ઓમ ટ્રેડીંગ નામની પેઢી ચલાવી શેરબજારનું કામકાજ કરતા હીરેન મહેન્દ્રભાઈ ધબા નામના આસામીએ પોતાના પાડોશી વિક્કી મનજીભાઈ વાણીયા પાસેથી કટકે કટકે રૂ।.૨૦ લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે છ ચેક આપ્યા હતા.
તે તમામ ચેક બેંકમાંથી પરત ફરતા વિક્કીભાઈએ અદાલતમાં હીરેન મહેન્દ્રભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ છ કેસમાં આરોપી હીરેન મહેન્દ્રભાઈ ધબાને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં બે-બે વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial