Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોએ કચેરીને અરજી મોકલવીઃ
જામનગર તા. ૧૨: જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪ જૂનના સવારે ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જામનગર પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને શહેર પ્રાંત અધિકારીની કચેરીમાં યોજવામાં આવશે. અરજદારો એ આગામી તા. ૧૮ જૂન સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામા પર મોકલી આપવાની રહેશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય. તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પૂરાવા સાથે રજૂઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા શહેર મામલતદાર, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial