Advertisement
Author: નોબત સમાચાર

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કિલો દીઠ રૂપિયા ૪નો વધારો ઝીંકાયોઃ બેવડો માર

વાહનચાલકો-મધ્યમવર્ગ પર વધ્યો આર્થિક બોજ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧: દેશના વાહનચાલકોને મોટો ઝટકો આપતા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કિલો દીઠ સીધો રૂ।. ૪ નો વધારો ઝીંકી દેવાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતભરના વાહન ચાલકોને અદાણી ગેસે મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. સીએનજીના ભાવમાં સીધો રૂ. ૪નો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ રૂ. ૯૪.૦૨ પ્રતિ કિલો થયો છે, જે પહેલા રૂ. ૯૦.૦૨ હતો. દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો અને ઓટોરિક્ષા-કેબ ડ્રાઇવરોના માસિક બજેટ પર આ વધારાથી મોટી અસર પડશે. સીએનજીના ભાવમાં સીધો રૂ. ૪ નો વધારો કરી દેવાતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના માસિક બજેટ પર ભારે અસર પડી છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે સીએનજી પર નિર્ભર રહેતા સામાન્ય વર્ગના લોકો પર હવે મોંઘવારીનો બમણો માર પડ્યો છે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતાઓમાં તીવ્ર વધારો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh