Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં તા. ૮ ડિસેમ્બરે ચિંતન શિબિર

દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડયા દ્વારા આયોજન

ખંભાળીયા તા. ૪: તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના તમામ મંત્રીઓ તથા તમામ જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગીર સોમનાથમાં ત્રણ દિવસ ચિંતન શીબીર યોજાઈ હતી. જે સંદર્ભમાં દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડયા દ્વારા આગામી તા. ૮-૧૨-૨૪ ના દ્વારકા જિલ્લાના વિવિધ અધિકારીઓ માટે એક દિવસની ચિંતન શીબીરનું આયોજન કરાયું છે.

જિલ્લાના વહીવટી તંત્રને ચેતનવંતુ કરવા, રાજ્યની ચિંતન શિબીરના અનુભવો, સુચનો માર્ગદર્શનનો પ્રચાર પ્રસાર કરવા, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના અનુભવો, સારા કાર્યોમાં પડતી સમસ્યાઓ વિવિધ પ્રોજેકટ અંગે ચર્ચાઓ તથા સાચા અર્થમાં વિકાસની કેડીએ લોકોને લઈ જવાના ચિંતનના રાહ સાથે આ ચિંતન શીબીર યોજાઈ છે.

આ ચિંતન શિબીરમાં હોલ-૧માં પ્રાંત અધિકારી ખંભાળિયા તથા હોલ-૨માં પ્રાંત અધિકારી દ્વારકાના સુપરવીઝન હેઠળ બે ટીમો બનાવાઈ છે જેમાં જિલ્લા પોલીસવડા, અધિક નિવાસી કલેકટર નિયામક ગ્રામ વિકાસ એજન્સીથી માંડીને વિવિધ કંપનીના પ્રતિનિધિઓ, ચીફ ઓફિસરો, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

બરડા જંગલ સફારી પાર્ક, ઘુમલી મંદિર, ઈન્દ્રેશ્વર, દ્વારકાધીશ મંદિર, બેટ-દ્વારકા, શીવરાજપુર બીચ, નાગેશ્વર મંદિર, ગોપી તળાવ, સુદામા સેતુ (સુ્દર્શન સેતુ), ગોમતી ઘાટ, ગૌમાતા ટેંગીગ જેવા મુદ્દાઓ પણ ધ્યાને લેવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh