Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામીના ખુલ્લા પ્લોટમાં ઉભુ કર્યુ હતું દબાણઃ
જામનગર તા. ૪: જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં થોડા વર્ષથી એક મહિલાએ ધાર્મિક દબાણ ઉભું કરી લીધાની પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ કરાઈ હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. જેલ મુકત થવા આ મહિલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં મહાવીરસિંહ નટુભા જાડેજા નામના એસટી વિભાગમાં કંડકટરની ફરજ બજાવતાં આસામીને વર્ષ-૨૦૧૫માં એક ખુલ્લો પ્લોટ ખરીદ કર્યો હતો. તે પછી તેમની નડિયાદ બદલી થઈ જતાં તેઓ ત્યાં ચાલ્યા ગયા હતાં.
ત્યાંથી પરત આવ્યા પછી પોતાના પ્લોટે ગયેલા મહાવીરસિંહના પ્લોટમાં રોશનબેન અલીભાઈ સફીયા નામના મહિલાએ કબર બનાવી અને તેના પતરાં ચઢાવ્યા પછી પડદાં બાંધી લીધાનું જણાઈ આવ્યું હતું. તેથી આ દબાણ હટાવવાનુ કહેતા રોશનબેને ના પાડી હતી તે પછી કલેકટર સમક્ષ તેની અરજી કરાતાં લેન્ડ ગ્રેબીંગ સમિતીએ તપાસ હાથ ધરી હતી અને તેના અંતે પોલીસમાં ફરિયાદ કરવા સૂચન અપાતા મહાવીરસિંહે સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી રોશનબેન સફીયાની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં.
ઉપરોકત આરોપીને જામીન થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે એ.ડી.પી.પી. ધર્મેન્દ્ર જીવરાજાનીએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તી વી.પી. અગ્રવાલે આરોપી મહિલાની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial