Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચાર રોકવા મુદ્દે
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ આજે હિન્દુ એક્તા સમિતિના નેજા હેઠળ મૌન રેલીનું આયોજન થયું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને હિન્દુઓ ઉપર ભયંકર અત્યાચાર થઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. આમ બાંગ્લાદેશમાં સંવિધાનનું ગળુ દબાવાઈ રહ્યું છે. પ૯ ટકા હિંસા મંદિરમાં બની છે અને ૬૯ મંદિરોમાં પૂજા સમયે હુમલાઓ થયા છે. હિન્દુ સમુદાયના ઘરોમાં તોડફોડ કરી લૂંટ કરવામાં આવી છે. અનેક હિન્દુઓની હત્યા થઈ છે. ૧પ૦૦ હિન્દુ શિક્ષકોએ રાજીનામા આપવાની ફરજ પડી છે. ધર્મ પરિવર્તન માટે દબાણ થઈ રહ્યું છે, અને બાંગ્લાદેશ સરકાર આવી ઘટનાને અંકુશમાં રાખવા નિષ્ફળ ગઈ છે આથી બાંગ્લાદેશ સરકાર ઉપર કડક રીતે દબાણ કરવામાં આવે અને અત્યાચારો બંધ કરવા કડક પગલાં લેવામાં આવે તથા દોષીતો ઉપર કડક પગલાં લેવામાં આવે. બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ કરવામાં આવે કે હિન્દુઓની સુરક્ષા થાય, અને તેઓને ધર્મ અને સંસ્કૃતિ પાલન કરવાની આઝાદી મળે તથા માનવ અધિકારની સ્થિતિમાં સુધાર કરવામાં આવે. તેમજ ખાસ કરીને સંત ચિન્મય કૃષ્ણદાસજીને તરત જ મુક્ત કરવામાં આવે. આ તમામ માંગણી સાથે આજે હિન્દુ એક્તા સમિતિના જામનગરના નેજા હેઠળ વિશાળ મૌન રેલી નીકળી હતી. સરલાબેન ત્રિવેદી ભવન પાસેથી શરૂ થયેલ આ મૌન રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. આ આવેદનપત્ર-રેલીમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં જેમાં આર.એસ.એસ., વિહિપ, બજરંગ દળ, હિન્દુ સેના, હિન્દુ જાગરણ મંચ સહિતની સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial