Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એટ્રોસિટી એકટ હેઠળ નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૪: જામનગરના એક યુવાન પર દોઢેક મહિના પહેલા બે શખ્સે છરી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. પોલીસે એટ્રોસિટી તેમજ બી.એન.એસની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને જેલહવાલે કર્યા હતાં. આ આરોપીઓએ કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
જામનગરના રોહિત વિજયભાઈ નામના યુવાન પર ગઈ તા. ૧૯ ઓકટોબરના દિને પ્રકાશ કિશોરભાઈ મોખરા, મુંજાભાઈ ખીમાભાઈ ઘોડા નામના શખ્સોએ છરી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રોહિતના પિતા વિજય બાબુભાઈએ અગાઉ રૂ. ૧૦૦૦ હાથઉછીના આપ્યા હતા તે રકમ રોહિતે પરત માંગતા હુમલો કરાયાનુ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે એટ્રોસિટી તેમજ બીએનએસ એકટની કલમો ગુન્હો નોંધી આરોપી પ્રકાશ ઉર્ફે લાલા મોખરા તથા મુંજાભાઈની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. આ આરોપીઓએ જામીન મુકત થવા અદાલતમાં અરજી કરી હતી. તેની સામે સરકારી વકિલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીઓની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial