Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને અપાયેલા વચનો ક્યારે પૂર્ણ થશે? ખેડૂતોને તેમના હક્ક આપવામાં કંજુસાઈ શા માટે?

'ખેડૂતોના આંદોલન અન્વયે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે લાલઘૂમઃ

નવી દિલ્હી તા. ૪: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ખેડૂતોના આંદોલનને લઈને કેન્દ્ર સરકારને સીધા સવાલો પૂછ્યા છે. ધનખરે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પૂછ્યું કે ખેડૂતોને આપેલા વાયદાઓનું શું થયું અને તે કેમ પૂરૃં ન થયા? આ સાથે ઉપરાષ્ટ્રપતિએ એવો પણ સવાલ ઊઠાવ્યો હતો કે ખેડૂતો સાથે કેમ વાત કરવામાં આવતી નથી અને તેમના હક્ક કેમ આપવામાં આવતા નથી. ધનખરે ખેડૂતોની સમસ્યાઓ અંગે સરકારની નીતિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સીધો સવાલ કર્યો કે ખેડૂતોને આપેલા વચનોનું શું થયું? તેમણે સવાલ કર્યો કે જો ખેડૂતોને કોઈ લેખિત વચન આપવામાં આવ્યું હતું તો તેને કેમ પૂરૃં કરવામાં આવ્યું નથી? તેમનું માનવું હતું કે આ વચનો પાળવાનો સમય આવી ગયો છે અને ખેડૂતો સાથે તાત્કાલિક સંવાદ શરૂ કરવો જોઈએ.

ઉપરાષ્ટ્રપતિએ ખેડૂત વિરોધ ચાલુ રાખવા પર પણ સવાલો ઊઠાવ્યા હતાં. તેમણે કહ્યું કે ગયા વર્ષે પણ આંદોલન થયું હતું અને આ વર્ષે પણ આંદોલન ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત આટલી ઊંચાઈ પર ક્યારેય નહોતું તો પણ ખેડૂતો કેમ પરેશાન અને પીડિત છે? તેમણે કહ્યું કે આ સ્થિતિમાં પરિવર્તનની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ખેડૂતોની સમસ્યાઓ અંગે સરકાર સમક્ષ ગંભીર પ્રશ્નો ઊઠાવ્યા હતાં અને તેના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમના શબ્દોમાં ખેડૂતોના અધિકારો અને તેમની સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવું જોઈએ જેથી આંદોલન ઉકેલી શકાય અને દેશની આત્માને ઠેંસ પહોંચતી બચાવી શકાય.

ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે ખેડૂતો સાથે કોઈપણ વિલંબ કર્યા વિના વાતચીત શરૂ થવી જોઈએ અને સરકારે ખાતરી કરવી જોઈએ કે ખેડૂતોને આપેલા તમામ વચનો પુરા થાય. વડાપ્રધાન મોદીના વિઝનને ટાંકીને તેમણે કહ્યું કે જટિલ સમસ્યાઓનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે અને સરકારે ખેડૂતો સાથે વાતચીત વધાવાની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિએ સરકાર પર ખેડૂતોને તેમના અધિકારો આપવામાં કંજુસ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકારે કોઈપણ વિલંબ કર્યા વિના ખેડૂતોને તેમના હક્કો આપવા જોઈએ. તેમનું માનવું છે કે જ્યારે કોઈ વચન આપવામાં આવે છે ત્યારે તેને પૂરૃં કરવું જોઈએ.

પોતાના નિવેદનમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અમે અમારા ખેડૂતો સાથે લડીને ભારતની આત્માને ખલેલ પહોંચાડી શકીએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે જો સંસ્થાઓ સક્રિય રહી હોત અને યોગદાન આપ્યું હોત તો કદાચ આ સમસ્યાઓ ક્યારેય ઊભી ન થઈ હોત. તેમનું માનવું છે કે આ કટોકટીનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ અને હવે સમજુતી તરફ આગળ વધવાનો સમય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh