Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની ક્યાંક ચાલી જતાં પરપ્રાંતીયનું વિષપાનઃ
જામનગર તા. ૪: કાલાવડના વિભાણીયા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતીયએ પોતાના પત્ની ક્યાંક ચાલ્યા જતાં લાગી આવવાથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે માનસિક બીમારીથી પીડાતા ખંભાળિયાના વીરમદળ ગામમાં પરપ્રાંતીય શ્રમિકે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં આવેલા હમીરભાઈ ગોલતર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના સરદારપરા ગામના દિલીપભાઈ ખીમભાઈ શીંગાણી ઉર્ફે વિનુભાઈ (ઉ.વ.૩૦) નામના શ્રમિકના પત્ની ચારેક દિવસથી ક્યાંક ચાલ્યા ગયા હતા.
આ બાબતનું લાગી આવતા ગઈકાલે બપોરે દિલીપભાઈએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપયું છે. મિતલબેન નીખિલભાઈ ડાવેરાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના વીરમદળ ગામની સીમમાં ખેત મજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ધામની ગામના વતની અશ્વિન અજમેરભાઈ ડામોર (ઉ.વ.રપ) નામના શ્રમિક એકાદ મહિનાથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તેમ છતાં અવારનવાર મરી જવાની વાતો કરતા અશ્વિનભાઈએ સોમવારે સાંજે ખેતરમાં આવેલા કૂવામાં મુકવામાં આવેલા ઈલેકટ્રીકના થાંભલામાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ વેળાએ તેમના વજનથી થાંભલો તૂટી પડતા કૂવામાં ખાબકી ગયેલા આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. ગુડુભાઈ ધનસીંગ ડામોરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial