Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરબાઈ જલીયાણ વાલી મંડળની માંગઃ
જામનગર તા. ૪: સરકારનાં પ્રજાલક્ષી નિર્ણય સામે અમુક સ્કૂલો દ્વારા આંદોલન, હડતાલનું શસ્ત્ર ઉગામાયુ તો આવી સ્કૂલો સામે પગલા લેવા વીરબાઈ જલીયાણ વાલી મંડળ દ્વારા રજૂઆત અને માંગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવાયેલ આવેદન પ્તરમાં જણાવાયું કે સરકારનાં રજીસ્ટ્રેશનનો કાયદો આવકાર દાયક છે. છતાં અમુક કહેવાતી શાળા તેનો વિરોધ કરી હડતાલ, આંદોલન કરે છે, જે તદન ગેરકાયદેસર છે.
રાજકોટના ગેમઝોન જેવી ઘટના ન બને તે અંગે પ્રી-સ્કૂલ માટે સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે, જે નિયમો બાળકોની સેફટી માટેના છે. આમ છતાં તેનો વિરોધ દર્શાવે છે કે તેમનામાં પૈસા કમાવવામાં જ રસ છે. બાળકોની સુરક્ષાનો વિરોધ હોઈ શકે ખરાં ?
હકીકતે સેવાના માધ્યમને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. આવી સ્કૂલો સામે કડક પગલા લેવા જોઈએ. જરૂર પડયે આવી સ્કૂલની માન્યતા રદ્દ કરવી જોઈએ. તેવી માંગણી પણ આ આવેદન પત્ર દ્વારા સંસ્થાના પ્રમુખ કિશોર મજીઠીયા વગેરેએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial