Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ ગંભીર રોગચાળાની આક્રમકતામાં ઘટાડો નોંધાઈ રહ્યો છેઃ
જામનગરમાં રોગચાળાએ માજા મૂકી હતી, જો કે શિયાળાની શરૂઆત થતા ગંભીર રોગચાળામાં અંકુશ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૮પ અને ચિકનગુનિયાનો માત્ર એક કેસ નોંધાયો છે. ગત્ ચોમાસાની ઋતુ દરમિયાન અને એ પછી જામનગરમાં રોગચાળો બેકાબૂ બનતા સરકારે-ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા હતાં, જો કે હજુ પણ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે, પરંતુ ગંભીર ગણાતી ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાની બીમારીમાં થોડી રાહત મળી છે. ખાસ કરીને શિયાળાની સિઝન શરૂ થતા દર્દીઓની સંખ્યાનો આંકડો નીચે તરફ સરક્યો છે. જી.જી. હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ગત્ તા. રપ-૧૧-ર૦ર૪ થી તા. ર-૧ર-ર૦ર૪ ના એક અઠવાડિયાના સમયગાળામાં તાવના દર્દીઓ સારવાર માટે આવ્યા હતાં. તેમાંથી ૩પ૦ દર્દીઓના સેમ્પલો લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૮પ દર્દીના સેમ્પલ પોઝિટિવ મળ્યા હતાં. એટલે કે ૮પ દર્દીઓ ડેન્ગ્યૂના નોંધાયા હતાં. મતલબ કે દરરોજના સરેરાશ ૧૩ કેસ હજુ પણ નોંધાઈ રહ્યા છે, જો કે અગાઉ દરરોજ ર૦ થી ૩૦ દર્દીઓ ડેન્ગ્યુના નોંધાતા હતાં. એટલેકે સરેરાશ અડધો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉપરાંત ચિકનગુનિયાના ચાર શંકાસ્પદ કેસના નમૂના લેવાયા હતાં અને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતાં. તેમાંથી માત્ર એક જ સેમ્પલ પોઝિટિવ મળ્યું હતું. એટલે કે પાછલા એક અઠવાડિયામાં ચિકનગુનિયાનો માત્ર એક જ કેસ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial