Advertisement
Author: નોબત સમાચાર

રેગીંગની ઘટના ન બને તે માટે તકેદારી રાખવા તાકિદ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં

જામનગર તા. ૪: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની એન્ટી રેગીંગ કમીટીની મીટીંગ તા. ૨૦-૧૧-૨૪ના દિને વાઈસ ચાન્સેલર મુકુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

કોસવડાની સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજમાં બનેલી રેંગીગની એક ઘટના અંગે કોલેજના આચર્યાએ કરેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આચર્યાએ રજૂ કરેલી વિગતો પ્રમાણે આરોપી વિદ્યાર્થી પાસેથી માફી પત્ર લખાવી ફરીયાદી અને આરોપી વચ્ચે સુલેહ થઈ ગયાનું જણાવ્યું હતું.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કોસવડા કોલેજના આચાર્યને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા તેમજ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને તેમની કોલેજોમાં રેગીંગની કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા તાકિદ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh