Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા
જામનગર તા. ૪: યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કોર્પોરેટ સર્વિસ રીસ્પોન્સીબીલીટી હેઠળ જુનાગઢના ક્ષેત્રીય કાર્યાલયના ઉપક્રમે જામનગરના એરફોર્સ સ્ટેશનમાં આપેલ કેન્દ્રીય વિદ્યાલય નં. ૧માં બેંકના ક્ષેત્રીય અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક સુશ્રી એ. મણીમેખલેના હસ્તે ૪૦ ઈન્ટરએકટીવ સ્માર્ટ બોર્ડસની ભેટ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે ક્ષેત્રીય અધ્યક્ષ સુશ્રીએ. મણીમેખલેએ જણાવ્યું હતુ કે, આ ઈન્ટર એકટીવ સ્માર્ટ બોર્ડના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ તથા ડીજીટલ સ્થીરતામાં વૃદ્ધિ થશે, અભ્યાસમાં સરળતા રહેશે.
આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના અખિલેશ કુમાર, (ગાંધીનગર), સંજીવકુમાર (રાજકોટ), રમેશસિંહ (જુનાગઢ), કેન્દ્રીય વિદ્યાલયના ગુણવંત ચૌધરી (પ્રધાનાચાર્ય), એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડીંગ પુનિત વીગ, એસ.એસ. ત્યાગી, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial