Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દાજીબાપુની શેરીમાં ગેરકાયદે દુકાનોનું બાંધકામ તોડી પાડો

લત્તાવાસીઓ દ્વારા કમિશ્નરને રજૂઆત

જામનગર તા. ૪: જામનગરના જામના ડેરા પાસે દાજીબાપુની શેરીમાં રહેણાંક મકાનો તોડી પાડીને ત્યાં ગેરકાયદે દુકાનો બનાવવામાં આવી રહી છે. આ અંગે લત્તવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર કૌભાંડમાં મહાનગર પાલિકાનાં જવાબદાર અધિકારી પણ સંડોવાયેલા હોય તેની સામે પણ પગલાની માંગ કરવામાં આવી છે.

અહીં રહેણાંક મકાન તોડી પાડી ત્યાં રીનોવેશનના બહાને મકાન સામે દુકાનો બનાવાઈ રહી છે. અને રાતોરાત ૩ થી ૪ માળનું બાંધકામ ખડકી દેવાયું છે. હવે આવી દુકાનોનું વેચાણ કરી કરોડોની કમાણી કરી લેવાશે. અહિ વિજળી, પાણીની પણ ગેરકાયદે સપ્લાય કરવામાં આવી છે. દિવાળી સમયે આ બાંધકામ અટકયુ હતું પરંતુ ત્યાર પછી વહીવટ કરીને પુનઃ બાંધકામ શરૂ કરાયું છે.

આથી સત્વરે આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવું જોઈએ. અને જવાબદાર બાંધકામધારક અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારી સામે કડક પગલા લેવા જોઈએ. તેવી માંગણી લત્તાવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh