Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાશે પર્યાવરણ શુદ્ધિ માટે ૧૫૦ કુંડી મહાયજ્ઞ

આગામી તા. ૨૨મી ડિસેમ્બરના રવિવારે

જામનગર તા. ૦૪: જામનગરના આર્યસમાજ દ્વારા પર્યાવરણ શુદ્ધિ માટે ૧૫૦ કુંડી વૈદિક યજ્ઞનું આયોજન આગામી તા. ૨૨-૧૨-૨૦૨૪ (રવિવાર)ના સવારે ૯-૩૦ વાગ્યે, શ્રી ડી.સી.સી. હાઈસ્કુલનું મેદાન, પ્રદર્શન ગ્રાઉન્ડ સામે, ગૌરવ પથ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ ૧૫૦ કુંડી યજ્ઞમાં ભાગ લેવા માટે જરૂરી માહિતી અને આવેદનપત્ર મેળવવા માટે સોમવારથી શનિવાર સવારે ૧૧ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી આર્યસમાજ-જામનગર, ખંભાળિયા ગેઈટ બહાર, જામનગરના વહીવટી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ઉપરોકત યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ રાખવામાં આવ્યો નથી. તેમ આર્યસમાજના માનદમંત્રી નરેન્દ્ર સી. મહેતાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh