Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં તા. ૬ના બાઈક રેલીનું આયોજન

ખંભાળિયામાં કલેક્ટરશ્રીને આવેદન અપાશેઃ

ખંભાળિયા તા. ૪: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિન્દુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે. સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઊઠી રહ્યો છે ત્યારે ખંભાળિયામાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. હિન્દુ અસ્મિતા મંચ ખંભાળિયા દ્વારા આ મુદ્દે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ અસ્મિતા મંચ ખંભાળિયા દ્વારા તા. ૬-૧ર-ર૦ર૪ ને શુક્રવારે બપોરે ૩-૩૦ વાગ્યે જોધપુર ગેટથી વિશાળ બાઈક રેલી સ્વરૂપે પસાર થઈ જિલ્લા સેવા સદન ખંભાળિયામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિમિત્ર મંડળ, હિન્દુ ભાઈ-બહેનો અને સંસ્થાઓને વિશાળ સંખ્યામાં જોડાવા માટે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh