Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મહિને પોલીસે પાડ્યો હતો દરોડોઃ
જામનગર તા.૧૦ ઃ જામનગરના અંધાશ્રમ આવાસમાં એક મહિના પહેલા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી કૂટણખાનું પકડી પાડ્યું હતું. ઝડપાયેલી મહિલા સંચાલિકાએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના અંધાશ્રમ આવાસમાં એક મહિલા પોતાના મકાનમાં કૂટણખાનુ ચલાવતી હોવાની બાતમી પરથી ગઈ તા.૭-૫-૨૩ના દિને પોલીસે દરોડો પાડી નીતાબેન નામની મહિલાને પકડી પાડી હતી.
તે સ્થળેથી કેટલીક મહિલાઓ પણ મળી આવી હતી. કૂટણખાનાની સંચાલિકા પુરૃષ ગ્રાહકોને બોલાવી સુખ માણવાની વ્યવસ્થા કરી આપતી હોવાનો આક્ષેપ મૂકી પોલીસે આઈપીસી ૩૭૦ (૩) તથા ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
આ મહિલા આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા તેણીને જામીન પર ન છોડવા દલીલ કરવામાં આવી હતી તેની સામે આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને રાખી અદાલતે આરોપી મહિલાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial