Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલી-ભરેલા પંદર બાટલા સાથે એકની અટકાયતઃ
જામનગર તા.૧૦: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરતા એક શખ્સને એસઓજીએ પકડી પાડ્યો છે. સ્થળ પરથી નાના મોટા તથા ખાલી-ભરેલા પંદર બાટલા કબજે કરાયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં આવેલી એક ઓરડીમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે રીફીલીંગ કરાતું હોવાની બાતમી એસઓજીના રાજેશ મકવાણા, શોભરાજસિંહ, અનિરૃદ્ધસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજી સ્ટાફે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી શક્તિસિંહ રતુભા પરમારની ઓરડી ભાડે રાખી તેમાં પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવીણસિંહ જાડેજા નામનો શખ્સ રાંધણગેસના બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરતો ઝડપાઈ ગયો હતો. એસઓજીએ સ્થળ પરથી ગેસ ભરેલા નાના મોટા તથા ખાલી મળી કુલ પંદર બાટલા, નીપલ સહિતનો ₹ ૨૪, ૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સ સામે સિટી-સી ડિવિઝનમાં આઈપીસી ૨૮૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial