Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય સ્તરે પુસ્તક સર્જકનો વહીવટી ક્ષેત્રે પણ ડંકો
જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનાં મદદનીશ તરીકે ફરજ બજાવતા તથા રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત સાહિત્યકાર ડો. અશોક ચાવડા 'બેદિલ' ની કાર્યવાહક કુલસચિવ પદે નિમણૂક કરવામાં આવી છે.
ભારત સરકારનો યુવા પુરસ્કાર, તથા ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર ઉપરાંત દાસી જીવણ એવોર્ડ, રાવજી પટેલ એવોર્ડ વગેરે સાહિત્ય જગતનાં પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત ડો. અશોક ચાવડા 'બેદિલ' ની કવિતા 'દીકરી' ધો. ૧૦ ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપિત વૈદ્ય ડો. મુકુલ પટેલ દ્વારા કાર્યવાહક કુલસચિવપદે નિમણૂક કરવામાં આવતા ડો. અશોક ચાવડાએ માહિતી અધિકારીથી લઈ મદદનીશ કુલસચિવ, સિંડીકેટ વિભાગના નાયબ કુલસચિવ વગેરે હોદ્દાઓ પર સુપેરે ફરજો બનાવી અનુક્રમે ડો. ેએમ.એલ.શર્મા, પદ્મશ્રી રાજેશ કોટેચા, ડોે. સંજીવ ઓઝા તથા વર્તમાન કુલપતિના કાર્યપ્કાળમાં વહીવટી ક્ષેત્રે પણ પોતાની આગવી પ્રતિભા સાબિત કરી છે. તેમની નિમણૂક પર યુનિવર્સિટીના હોદ્દેદારો ઉપરાંત નગરના સાહિત્ય જગત દ્વારા પણ અભિનંદન વર્ષા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial