Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ ચેલા ગામના મહાજન પરિવાર દ્વારા પક્ષીઓ માટે ચણનું દાન

જામનગર તા. ૧૦ઃ મુંબઈ (મુલુન્ડ) નિવાસી અને મૂળ ચેલા ગામના વતની મહાજના પરિવાર દ્વારા પક્ષીઓ માટે એક ખટારા ચણનું દાન આપવામાં આવ્યું હતું. જેમાં દાતા મણીબેન જીવરાજ મેરગ સાવલા પરિવાર સ્વ. ધીરજલાલ જીવરાજ પરિવાર હ.ગં.સ્વ. રતનબેન ધીરજલાલ, રાહુલ ધીરજલાલ, હેમુબેન ધીરજલાલ સાવલા, તથા ચંદુભાઈ જીવરાજ સાવલા, વિનોદભાઈ જીવરાજ સાવલા, મુકેશભાઈ જીવરાજ સાવલા તરફથી સ્વ. ધીરજલાલ જીવરાજ સાવલાના સ્મણાર્થે જુવાર અને બાજરાના કુલ ૩પ૦ બાચકા આપવામાં આવ્યા હતાં. આ કાર્યમાં કાંતિલાલ  કરમણભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

એકત્ર થયેલ ચણનું વિતરણ એડવોકેટ નાનજીભાઈ સોનગરા દ્વારા ભાણખોખરી, પરોડીયા, નાગેશ્વર મંદિર, સોડસલા, હરીપર સહિતના ૯પ સ્થળોએ કરવામાં આવ્યું હતું. ચણનું દાન આપવા માટે કાંતિલાલ ગડા (મો.૯૮૯ર૧ ૯૯૧૯૦) અથવા નાનજીભાઈ સોનગરા (મો. ૯૪ર૬૯ પપ૪પ૦)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh