Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય બદલ્યા પછી
મુંબઈ તા. ૧૦ઃ એનસીપી અધ્યક્ષ શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને એનસીપીની કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.
એનસીપીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ શરદ પવારે પાર્ટી અધ્યક્ષની જવાબદારી છોડવાની જાહેરાત કરી હતી, જો કે કાર્યકરોની નારાજગી અને આગેવાનોની સમજાવટ પછી તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે પક્ષમાં બે નવા કાર્યકારી પ્રમુખ બનાવીને હાઈકમાન્ડે આશ્ચર્ય સર્જ્યું છે. આજે એનસીપીનો રપ મો સ્થાપના દિવસ છે. પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, આપણે બધાએ એનસીપીને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સુપ્રિયા સુલેને હરિયાણા અને પંજાબની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial