Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ અચોક્કસ મુદ્ત સુધી બંધ

બિપોરજોય વાવાઝોડાની દહેશતના પગલે

જામનગર તા. ૧૦ઃ બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે આવતીકાલથી અચોક્કસ મુદ્ત સુધી હાપા માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતીકાલ રવિવાર, તા. ૧૧ જૂન ર૦ર૩ ના સાંજે પાંચ વાગ્યાથી હાપા માર્કેટ યાર્ડમાં તમામ જણસીની આવક બંધ કરવામાં આવનાર છે.

વરસાદ-વાવાઝોડાની આગાહીના કારણે તમામ જણસીની આવક બંધ રાખવાનો નિર્ણય સત્તાધિશો દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે પણ યાર્ડ પુનઃ ખોલવામાં આવશે ત્યારે સત્તાવાર રીતે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.

સોમવારે હરાજી પૂરી થયા પછી માર્કેટ યાર્ડના તમામ પ્લેટફોર્મ ઉપરથી તમામ જણસીઓ પેન્ડીંગ અથવા ખરીદ કરેલ હોય તેવોએ સાવચેતીના ભાગરૃપે ઉપાડી લેવાનો રહેશે. જે વેપારીઓનો યાર્ડના ઊભા-આડા રોડ ઉપર અને ખુલ્લી જગ્યામાં જે માલ પડેલ છે તેઓએ પોતાની દુકાને લઈ જવાનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh