Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણના ઢોલ પીટતી સરકારને અર્પણઃ
જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની એક શાળામાં ૧૩ શિક્ષકોની ઘટ છે. તેમજ ૧૪૮ વાલીઓ પોતાના બાળકનું લીવીંગ સર્ટીફિકેટ લઈ ગયા હોવાનું અને તેમણે અન્ય શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા જ કરવામાં આવ્યો છે.
શહેરના હાપા માર્ગ લાલવાડી વિસ્તારમાં આવેલ શાળાની ગઈકાલે શિક્ષણ સમિતિના સભ્ય કોંગ્રેસના આનંદ ગોહિલએ આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો તેમને જાણવા મળી હતી. આ શાળામાં ૭૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને માત્ર ચાર જ શિક્ષકો ફરજ બજાવે છે. એટલે કે ૧૩ શિક્ષકોની ઘટ છે, અને અપૂરતા શિક્ષકોના કારણે ૧૪૮ વાલીઓ પોતાના બાળકનું એલ.સી. કઢાવી અન્ય શાળામાં ગયા હોવાનું પણ આ વિપક્ષી સભ્યએ આક્ષેપ કરતા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial