Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેન દુર્ઘટના સંદર્ભમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત જૈનાચાર્ય સંજય મુનિજીએ લીધી ઓડિશાની મુલાકાત

ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરીઃ કેન્દ્રીય મંત્રીઓ સાથે વિખુટા પડી ગયેલા લોકો માટે ઉકેલ લાવવા ચર્ચા કરી

ઓડિશામાં થયેલા  ટ્રેન દુર્ઘટના સંદર્ભમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત જૈનાચાર્ય સંજયમુનિજીએ કેન્દ્રીય મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સાથે ઓડિશાની મુલાકાત લીધી હતી. તેઓ અમદાવાદથી ખાસ વિમાન દ્વારા ભુવનેશ્વર પહોંચ્યા હતાં. ત્યાંથી સિદ્ધા વિશાળ કાફલા સાથે એઈમ્સ હોસ્પિટલ અને એસએસપી સરકારી હોસ્પિટલની મુલાકાતે ગયા હતાં. જ્યાં તમામ ઈજાગ્રસ્ત પીડિતોને મળી જલદી સાજા થઈ જાય તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધર્મેન્દ્ર પ્રધાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેકટર, એઈમસના ડોકટરો સાથે મુલાકાત કરી હતી. આચાર્ય સંજયમુનિજીએ દુર્ઘટના અંગે પીડા વ્યકત કરી હતી અને આ દુર્ઘટનામાં વિખુટા પડી ગયેલાઓ માટે ઉકેલ લાવવા કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh