Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ મેળવ્યા ચાર દિવસના રિમાન્ડઃ
જામનગર તા.૧૦ ઃ કલ્યાણપુર તાલુકાના વીરપરના બોક્સાઈટ કૌભાંડને પકડી પાડ્યા પછી એલસીબીએ ગઈકાલે ત્રણ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામ પાસેથી ગયા મહિને એલસીબીએ બોક્સાઈટ ભરેલા ત્રણ ટ્રક પકડી પાડ્યા પછી હાથ ધરેલી તપાસમાં અલગ જગ્યાએથી બોક્સાઈટ ખોદી કઢાયા પછી બીજી જગ્યા પર આવેલી લીઝનો રોયલ્ટી પાસ તેમાં લગાડાયો હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
ઉપરોક્ત ગુન્હામાં એલસીબીએ વધુ તપાસ હાથ ધર્યા પછી રમણીક મુળજી થાનકી નામના લીઝધારક તેમજ અન્ય શખ્સો સામે વિધિવત ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલે નિશાંત થાનકી તેમજ જેની જગ્યામાંથી બોક્સાઈટનું ગેરકાયવે ખનન કરાયું હતું તે જગાભાઈ પીઠાભાઈ કાંબરીયા અને ખોદી કઢાયેલા બોક્સાઈટને ટ્રકમાં ભરાવનાર-વહન કરાવનાર ભાવેશ પીઠાભાઈ કાંબરીયાની ધરપકડ કર્યા પછી ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા.
ત્રણેય શખ્સોને અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. આરોપીઓની પીઆઈ કે.કે. ગોહિલે ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial