Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તથા હરીપરમાં આવેલી છે જમીનોઃ
જામનગર તા.૧૦ ઃ ધ્રોલ તથા હરીપરની ખેતીની જમીનમાંથી ત્રણ બહેનોએ પોતાનો હક્ક જતો કર્યા પછી તે માટેની એન્ટ્રીઓ ખોટી હોવાનું જણાવી પોતાનો હિસ્સો મેળવવા બે ભાઈ સામે અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે રદ્દ કર્યાે છે. ધ્રોલ તથા હરીપર ગામમાં આવેલી ખેતીની જમીનમાંથી વર્ષ ૧૯૯૧ તથા ૧૯૯૩માં પોતાના બે ભાઈની તરફેણમાં હક્ક છોડી આપ્યા પછી ઉષાબેન દયાળજી, નિરંજનાબેન દયાળજી અને નિલમબેન દયાળજી ભુવાએ પોતાના બે ભાઈ પ્રવીણ ભુવા તથા વિજય ભુવા સામે તે એન્ટ્રી ખોટી હોવાનું તથા કબુલાતનામા અને ૧૩૫-ડીની નોટીસમાં પોતાની સહી ન હોવાનું જણાવી તે જમીનમાંથી પોતાનો હિસ્સો મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો. જેમાં તેમના ત્રીજા ભાઈ નરેન્દ્રએ સાથ આપ્યો હતો.
આ દાવામાં પ્રવીણભાઈ તથા વિજયભાઈએ તકરાર લીધી હતી કે, બહેનો તથા મોટાભાઈ અને માતાએ તલાટી સમક્ષ કબુલાત આપી હક્ક છોડ્યા છે. આ મુદ્દે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે બહેનો દ્વારા કરવામાં આવેલો દાવો નામંજૂર કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ નરેન્દ્ર વ્યાસ, મયુર મહેતા, મીહિર વ્યાસ, મિથીલ વ્યાસ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial