Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડીગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા

તાપમાનમાં ૧.૪ ડીગ્રીના ઘટાડા છતાં ભેજના કારણે ઉકળાટઃ

જામનગર તા. ૧૦ઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકાએ રહેતા નગરજનો અસહ્ય ઉકળાટથી પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.૬ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. બફારાના પગલે પરશેવે રેબઝેબ થઈને નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

જામનગરમાં ઓ સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.૬ ડીગ્રી અને ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭.૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ થોડો ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh