Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરઘોડો, મહાપ્રસાદ, મહાઆરતી, લોકડાયરા સાથે
જામનગર તા. ૧૦ઃ જામનગરના જયવછરાજ મિત્રમંડળ દ્વારા જય શ્રી ગઢવાળા ડાડા વછરાજના મૂળ સ્થાનકમાં અષાઢી બીજના સવારે ૯-૩૦ વાગ્યે ડાડાનો વરઘોડો, બપોરે મહાપ્રસાદ અને સાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે. તા. ર૦ મી જૂનની રાત્રે આઠ વાગ્યે નાગનાથ ગેઈટ-તંબોલી માર્કેટ પાસે ભવ્ય લોકડાયરો યોજાશે.
મંડળના પ્રમુખ રાકેશ સોલંકી (શંકરભાઈ), ઉપપ્રમુખ દયાળજીભાઈ ધારવીયા, મંત્રી કાનજીભાઈ પરમાર, સહમંત્રી રોહિત ચૌહાણ, ખજાનચી તુષાર ચૌહાણ, સહ ખજાનચી ભાવેશ ગઢવી, સંગઠન મંત્રી લક્ષ્મણભાઈ ગોહિલ, કારોબારી સભ્ય શૈલેષભાઈ ચૌહાણ, અજીતભાઈ રાઠોડ, વિજયભાઈ રાઠોડ વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.
રાત્રે યોજાનારા લોકડાયરામાં લોકગાયક-સાહિત્યકારો પોતાની આગવી શૈલીમાં ગીત-લોકગીત, દુહા-છંદ વગેરે રજૂ કરશે. આ ડાયરાનું જીવંત પ્રસારણ વી.કે. જાડેજા દ્વારા યુ-ટ્યુબના માધ્યમથી થશે. આ કાર્યક્રમોનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નગરજનોને આયોજકો દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial