Advertisement
Author: નોબત સમાચાર

તાજી દીવાલના ટેકે બેસેલા યુવાનનું ઈંટ નીકળી જતાં પટકાઈ પડવાથી મૃત્યુ

દરિયામાં તણાયેલા યુવાનના પરિજનનું નોંધાયું નિવેદનઃ

જામનગર તા.૧૦ ઃ સલાયામાં એક આસામીના મકાનમાં ઉપરના ભાગે કરાઈ રહેલા બાંધકામ દરમિયાન બુધવારે સાંજે તે યુવાન તાજી જ બનાવાયેલી દીવાલને ટેકો લઈને બેઠા હતા ત્યારે ઈંટ નીકળી જતાં પટકાઈ પડેલા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દરિયામાં તણાઈ ગયેલા રૃપેણ બંદરના યુવાનના અપમૃત્યુ અંગે પોલીસે નિવેદન નોંધ્યું છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં બારાડી ગેઈટ પાસે રહેતા વિજયસિંહ ભીખુભા રાઠોડ નામના આસામીના મકાનના ઉપરના ભાગમાં બાંધકામ કરાઈ રહ્યું હતું. તે દરમિયાન ગયા બુધવારે દીવાલનું ચણતર કરાયું હતું.

તે પછી બુધવારે સાંજે તાજી જ બનાવવામાં આવેલી દીવાલને ટેકો દઈને વિજયસિંહ (ઉ.વ.૩ર) બેઠા હતા ત્યારે તે દીવાલમાંથી ઈંટ નીકળી જતાં આ યુવાન છત પરથી પટકાઈ પડ્યા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા વિજયસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. સલાયાના જમાદાર એચ.પી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં આવેલા જગત મંદિર નજીકના ગોમતીઘાટ પર સમુદ્ર નારાયણ મંદિર પાસેથી ગુરૃવારે બપોરે મોહસીન નામના યુવાન તથા તેમના મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા તે દરમિયાન મોહસીન ઉંડાણ તરફ ખેંચાવા માંડતા તેને બચાવવા દ્વારકાના રૃપેણ બંદર પર રહેતા અસરફ અબ્બાસ ઈસબાની (ઉ.વ.ર૨) કૂદ્યા હતા. મોહસીન કાંઠે આવી જવા માટે નસીબદાર નિવડ્યો હતો. જ્યારે અસરફ દરિયામાં તણાઈ ગયો હતો. તે પછી ગઈકાલે સવારે આ યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. ગુલામહુસેન આમદભાઈ ઈસબાનીનું નિવેદન નોંધી પોલીસે બનાવની નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh