Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો બાળશ્રમયોગીઃ સંચાલક સામે ગુન્હો

શ્રમ આયુક્ત કચેરીના અધિકારીનો દરોડોઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના પી.એન. માર્ગના છેવાડે આવેલા એક રેસ્ટોરન્ટમાં ગઈકાલે સાંજે જામનગરના શ્રમ આયુક્ત કચેરીના અધિકારીએ ચકાસણી કરતા તે રેસ્ટોરન્ટમાંથી બાળમજૂર મળી આવતા રેસ્ટોરન્ટ સંચાલક સામે ફોજદારી કરવામાં આવી છે. આ શ્રમયોગીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

જામનગર શહેર તથા જિલ્લામાં બાળમજુરી ડામી દેવા માટે જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષપદે રચાયેલી ટાસ્ટફોર્સ ટીમે ચકાસણી હાથ ધર્યા પછી ગઈકાલે શહેરના પી.એન. માર્ગ ના છેવાડે આવેલા એક રેસ્ટોરન્ટમાં બાળમજૂર હોવાની બાતમી મળી હતી.

સરકારી શ્રમ અધિકારી ડી.ડી. રામીના વડપણ હેઠળની શ્રમ આયુક્તની કચેરીના સ્ટાફે ગઈકાલે સાંજે બેડીબંદર રોડ પર આવેલા શ્રીજી સન્મુખ નામના બિલ્ડીંગમાં દુકાન નં.૧ અને રમાં કાર્યરત જીજે-૧૦ નામની રેસ્ટોરન્ટમાં ચકાસણી કરતા ત્યાંથી ચૌદ વર્ષથી ઓછી વયનો એક શ્રમયોગી મળી આવતા તેને ત્યાંથી મુક્ત કરાવી બાળ સુરક્ષાગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.

આ રેસ્ટોરન્ટના સંચાલક ઋષભ મહેન્દ્રભાઈ શાહ સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રમ અધિકારી ડી.ડી. રામીએ ખુદ ફરિયાદી બની ચાઈલ્ડ લેબર પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન એમેન્ડ એક્ટ ૧૯૮૬ની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh