Advertisement
Author: નોબત સમાચાર

પિતાના ઘેર રોકાવવા આવેલા પરિણીત પુત્રી ભેદી સંજોગોમાં લાપત્તા બની ગયા

પિતા પાસેથી વિગત મેળવી પોલીસે શરૃ કરી તપાસઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૬ઃ જામનગરના ખેતીવાડી ફાર્મ નજીકના જોગણીનગરમાં રહેતા એક પરિણીત યુવતી પોતાના પિતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા છે. પોલીસે પિતાની જાણ પરથી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીકના જોગણીનગરમાં વસવાટ કરતા માધવભાઈ ગણેશભાઈ ભાટી નામના રાજસ્થાની પ્રૌઢની પુત્રી બિંદિયાના લગ્ન રાજુભાઈ રામાભાઈ રાઠોડ સાથે કરવામાં આવ્યા પછી બિંદિયાબેન પોતાના પિતાના ઘેર આવ્યા હતા.

ત્યાંથી આ યુવતી બાથરૃમ જવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલી ગઈ છે. પિતાએ તેની શોધખોળ કર્યા પછી જમાઈને પણ જાણ કરી હતી. સંભવિતઃ તમામ સ્થળોએ તપાસના અંતે તેણીનો પત્તો નહીં લાગતા સિટી સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. જમાદાર કે.એચ. વાઘેલાએ તેણીનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ હાથ ધરી છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૮૧૬૦૬૯૬૭૯૧નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh