Advertisement
Author: નોબત સમાચાર

બીમારીના કારણે ઘરમાં આર્થિક સંકળામણ આવી જતાં નાસીપાસ યુવાનનો ગળાફાંસો

માલેતામાં વૃદ્ધાએ કૂવામાં ઝંપલાવી જીવતર ટૂંકાવ્યુંઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જામનગરના એક યુવાને ઘરમાં બીમારી આવવાથી ઉભી થયેલી આર્થિક સંકળામણના કારણે નાસીપાસ થઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે કલ્યાણપુરના માલેતા ગામમાં બીમારીથી જઈ એક વૃદ્ધાએ કૂવામાં ઝંપલાવી જીવતર ટૂંકાવી લીધું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગરના હિરજી મિસ્ત્રી રોડથી આગળ આવેલી પ્રણામી શાળા પાસે રવિ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કેતુલભાઈ જીતેશભાઈ વારા (ઉ.વ.ર૮) નામના ધોબી યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખામાં ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવાનને નીચે ઉતારી તેના પરિવારે ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તેના માતા શિલ્પાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કેતુલભાઈના ઘરમાં બીમારીના કારણે આર્થિક સંકળામણ આવી જતાં તેઓએ ગઈકાલે આત્મહત્યા કરી લીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામના સનીબેન નથુભાઈ બથવાર નામના સાંઈઠ વર્ષના વૃદ્ધા છેલ્લા પંદરેક દિવસથી બીમાર પડી ગયા હતા. સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી જઈ બુધવારની રાત્રિથી ગુરૃવારની સવાર સુધીમાં પોતાના ઘરેથી નીકળી જઈ ગામમાં સ્મશાન નજીક આવેલા તળાવની પાળ નજીકના કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના પુત્ર રાજુભાઈ બથવારે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh