Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંદકી દૂર કરવાના કામનો ટૂંક સમયમાં થશે આરંભઃ
ખંભાળિયા તા. ૬ઃ ખંભાળિયા પાલિકા વિસ્તારમાં આવેલ બે મહત્ત્વની નદીઓ ઘી નદી તથા તેલી નદી પ્રદૂષિત હોય, તથા તેમાં અનેક જગ્યાએ ગટરો ભળતી હોય, ગાંડીવેલ અને પ્રદૂષણ સહિતના પ્રશ્નો થતા ર૭ કરોડના ખર્ચે ગંદકીને કાયમી રીતે દૂર કરવાના કાર્યની શરૃઆતમાં બન્ને નદીઓમાં ડિમોલીશન શરૃ કરાયું હતું. આઠ-દસ દિવસથી ચાલતા આ ડિમોલીશનમાં મહાપ્રભુજી બેઠકથી યોગેશ્વરનગર, બસ સ્ટેશન થઈને પાછળથી જતા રસ્તા પર થઈને દબાણો હટાવવાના શરૃ થતાં ગઈકાલ સુધીમાં રેલવે સ્ટેશન રોડ પર થઈને તેલી નદીના પૂલ સુધીનું તમામ દબાણ હટાવાતા રસતા બન્ને તરફ ચોખ્ખા થઈ ગયા હતાં. સ્ટેશન રોડ તેલી નદીથી મહાપ્રભુજી બેઠક સુધીમાં રપ થી ૩૦ મોટા દબાણો, મકાનો, કંપાઉન્ડ વોલ, કાચા મકાનો, દુકાનો સહિત તોડવામાં આવ્યા હતાં. તે પછી આજથી રેલવે સ્ટેશનની તેલી નદી તરફથી દબાણો હટાવવાના શરૃ થશે જે વિજય સિનેમા રોડ પરથી તેલી નદી સુધી બન્ને તરફ હટાવાશે. નદીની રેખા દોરીને અગાઉથી જ ક્યાં સુધી નદી છે તેની નિશાનીઓ કરાઈ છે તે માપ મુજબ ડિમોલીશન થશે.
ખંભાળિયામાં ઘી નદી પર રામનાથથી ખામનાથ પૂલ તથા ત્યાંથી સ્મશાન સુધીના રસ્તા પર બન્ને બાજુ કરોડોના ખર્ચે ગંદા પાણીના નિકાલ માટેની કામગીરી કરવાની હોય, ઘી નદીમાં પણ નિશાનીઓ બન્ને તરફ કરાતા ત્યાં પણ ડિમોલીશન શરૃ થયા હતાં જેમાં ૮૦ ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઈ છે. એક ખાનગી શાળાની દીવાલ, ખાનગી મકાનો, દીવાલો, કાચા મકાનો તોડવામાં આવી રહ્યા છે.
ખંભાળિયાની ઘી તથા તેલી નદીમાં ગંદા પાણીના નિકાલ માટે તથા બન્ને તરફ કેનાલ તથા તેની ઉપર રોડ બનાવવાના કાર્ય માટે ર૭ કરોડ ઉપરાંતના ખર્ચે કામગીરી થશે જેનો કોન્ટ્રાક્ટ પણ ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને જામનગરની એક કંપનીને આપી દેવાયો છે જે ડિમોલીશન પૂર્ણ થયે નદીની બન્ને બાજુ રેખા કરેલી છે ત્યાં સુધીના દબાણો હટાવ્યા પછી તુરંત કામગીરી શરૃ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial