Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડીમાં જ્ઞાતિજનો રહ્યા ઉપસ્થિતઃ
જામસલાયા તા. ૬ઃ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
સલાયા લોહાણા મહાજનના ઉપક્રમે પરિમલભાઈ ડી. નથવાણી લોહાણા મહાજન વાડીમાં રવિવારે સાંજે રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૧ર સુધીના પ૩ વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓ તેમજ રોકડ ભેટ વડે સન્મનિત કરવામાં આવ્યા હતાં.
સલાયા લોહાણા મહાજનના વડપણ હેઠળ યોજવામાં આવેલા આ સામાજિક કાર્યક્રમમાં ખંભાળિયાના સિનિયર પત્રકાર કુંજનભાઈ રાડિયા, જયસુખભાઈ મોદી, હાર્દિક મોટાણી, ખુશાલ ગોકાણી અને સાહિલ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે નાના એવા સલાયા ગામમાં લોહાણા મહાજનની આ પ્રકારે થતી સુંદર સેવા પ્રવૃત્તિઓને પત્રકાર કુંજનભાઈ રાડિયાએ તેમના વક્તવ્યમાં બિરદાવી હતી. આ કાર્યક્રમ બદલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી વી.પી. માનસેતાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં. વિદ્યાર્થીઓના સન્માન સમારોહના આયોજનમાં લોહાણા મહાજન ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો સાથે જલારામ સેવા સમિતિના કાર્યકરોએ પણ જહેમત ઊઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને આકર્ષક શૈલીમાં સંચાલન સલાયાના પત્રકાર અને એડવોકેટ આનંદ લાલએ કર્યું હતું. આભારવિધિ સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial