Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ મનપા જામજોધપુર પંથકમાં ર૧૩ કરોડના ખર્ચે ર૧ મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે

કાર્બન ફૂટ પ્રિન્ટમાં વાર્ષિક પ૪૬૪૮ ટનનો ઘટાડો કરશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ર૧ મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ જામથજોધપુર પંથકમાં નાખવામાં આવનાર છે. આ અંગેનો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં લેવાયો છે.

ર૧ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે બે વખત ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ભાગ લીધો ન હતો, પરંતુ ત્રીજીવારના ટેન્ડરમાં બે કંપનીઓ જોડાઈ હતી. તેમાંથી એક કંપની ફાઈનલ થતા જામજોધપુરમાં ર૧ મેગાવોટનો પવનચક્કી પ્લાન્ટ સ્થાપવા મંજુરી અપાઈ છે.

આ કંપની પ્લાન્ટ ઊભો કરશે અને ૧૦ વર્ષનો ઓપરેશન મેન્ટનન્સનું કામ પણ સંભાળશે. આ માટે રૃા. ર૧૩.૧પ કરોડ ચૂકવાશે.

આ પવનચક્કી પ્રોજેક્ટમાંથી વર્ષે પ૯.૪ મિલિયન વીજળી-યુનિટ વીજળી ઉત્પન્ન થશે, અને વર્ષ ર૮.૧૪ કરોડની રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને કાર્બન ફૂટ પ્રિન્ટમાં વાર્ષિક પ૪૬૪૮ ટનનો ઘટાડો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh