Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
ખંભાળિયા તા. ૬ઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળિયા ટીમ દ્વારા એસડીએમ, ડિવાયએસપી, મામલતદાર, પીઆઈ, જિલ્લા ભાજપ અધ્યક્ષ વગેરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ખંભાળિયામાં રેલવે સ્ટેશન સામે રેલ્વે ક્વાર્ટરમાં ગ્રીન ખંભાળીયા ટીમ અને એસડીએમ, ડિવાયએસપી, મામલતદાર, પીઆઇ, જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિત સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર ઉછેરવાની નેમ સાથે કરવામાં આવ્યું હતું
વિશ્વ પર્યાવરણ દિવસ દર ૫ જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણના રક્ષણ અને ઉપરાંત પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. આ દિવસે ખંભાળિયામાં ગ્રીન ખંભાળિયા ટીમ દ્વારા વૃક્ષોનું ઉછેરની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે પ્રાંત અધિકારી કરમટા ડીવાયએસપી માનસતા મામલતદાર વિક્રમ વરુ,પીઆઈ સરવૈયા, પીએસઆઈ બારડ મેડમ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડો.અમિત નકુમ, ગ્રીન ખંભાળિયાના અગ્રણી પત્રકાર પરબતભાઈ ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ મજીઠીયા, કિશોરભાઈ ભાયાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ ગોજીયા મંત્રી રાજુભાઈ સરસીયા, શહેર ભાજપ પ્રમુખ મીલનભાઈ કિરતસાતા, મહામંત્રી હસુભાઈ ધોળકિયા, અગ્રણી અશોકભાઈ કાનાણી, જસવંતસિંહ જાડેજા, નીતિનભાઈ પિઠીયા, રામભાઈ માતંગ, રેલવેના અધિકારી ઉમાશંકર અને રવિકુમાર ઉપસ્થિત રહૃાા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેર અને આજુબાજુ વિસ્તારને હરિયાળું બનાવાની નેમ સાથે ગ્રીન ખંભાળીયા સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીન ખંભાળિયા દ્વારા ખંભાળિયામાં અલગ અલગ જગ્યાઓમાં છેલ્લા એક વર્ષમાં ૬૦ લાખથી વધુ ખર્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial