Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં
જામનગર તા. ૬ઃ જામનગર આહિર સમાજની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં આગામી ત્રણવર્ષ માટે આહિર સમાજના પ્રમુખ તરીકે યુવા એડવોકેટ રણમલભાઈ કાંબરિયાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
મૂળ જામજોધપુર તાલુકાના વરવાળા ગામના અને છેલ્લા વીસ વર્ષથી જામનગરને કર્મભૂમિ બનાવનાર રણમલભાઈ યુવા કાળથી જ સમાજની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. વિદ્યાર્થી કાળ દરમિયાન આ.ભા.વિ.પ.માં પ્રદેશ કક્ષા સુધીની વિવિધ જવાબદારી સંભાળી હતી. તેઓ છેલ્લા ચાર ટર્મથી આહિર સમાજના મંત્રી તરીકે સેવા આપે છે. કોરોનાકાળમાં આહિર સમાજ દ્વારા દર્દીઓને રહેવા-જમવાની તથા ટિફિનની સેવા કરી હતી.
આ ઉપરાંત તેઓ માધવ સ્ક્વેર કોમ્પેક્ષના એસો.ના પ્રમુખ પદે તેમજ જામનગર વકીલ મંડળમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
આગામી ટર્મમાં જામનગર શહેરમાં વસતા સમાજના દરેક વર્ગને સાથે રાખી આધુનિક યુગની સાથે ચાલી સમાજને નવી દિશા આપવાની નેમ નવનિયુક્ત પ્રમુખ રણમલ કાંબરિયાએ વ્યક્ત કરી છે. યુવા આગેવાનની નિમણૂકને આહિર સમાજના આગેવાનોએ પણ વધાવી શુભેચ્છાઓ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial