Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના ગ્રાહકે રાજકોટમાં ખરીદી કરી હતી
જામનગર તા. ૬ઃ જામખંભાળિયાના યુવાને રાજકોટના મોલમાંથી ખરીદી કર્યા પછી થેલીના પૈસા વસુલવા અંગે ગ્રાહ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમાં રૃા. ૬ હજારની રકમ સાત ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ થયો છે. ખંભાળિયાના યુવા વકિલ સંજયભાઈ આંબલીયાએ વર્ષ ૨૦૧૯માં રાજકોટના એક મોલમાંથી ખરીદી કરી હતી. આ સમયે થેલી માટેના રૃા. ૧૬ની વસુલાત કરવામાં આવતા વકિલે ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં મોલના સક્ષમ અધિકારીની દલીલો સંતોષ કારક નહી જણાતા ફરિયાદીને સાત ટકા વ્યાજ સાથે રૃા. ૬૦૦૦ની રકમ ચૂકવવા ફોરમે આદેશ કર્યો છે. આ આદેશને મોલની કંપની દ્વારા ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં પડકારવામાં આવ્યો હતો. જયાં જિલ્લા ફોરમનો આદેશ માન્ય રાખવામાં આવ્યો છે. આ બેગ રૃા. ૪.૩૫માં ખરીદી કરી હોવા છતાં ૩૦૦ ટકા વધારો વસુલવામાં આવ્યો હતો. આથી અનફેર ટ્રેડ પ્રેકટીશ બદલ ગ્રાહકને વળતર પેટે ૬૦૦૦ રૃપિયા ચૂકવવાનો આદેશ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial