Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીમ અગિયારસ અને બકરી ઈદ નિમિત્તે
જામનગર તા. ૬ઃ આજે ભીમ અગિયારસ અને આવતીકાલે બકરી ઈદના તહેવાર નિમિત્તે યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ છે. એ પછી રવિવારની રજા છે. એટલે હવે યાર્ડમાં સોમવારથી રાબેતામુજબ કામગીરી શરૃ થશે.
આજે પવિત્ર ભીમ અગિયારસનો તહેવાર છે. અગાઉ ખેડૂતો આ દિવસે વાવણી કાર્ય શરૃ કરતા હતાં, પરંતુ હવે વરસાદની સિઝન મોડી થવાથી હાલ તો વાવણી શક્ય નથી, પરંતુ આજે માર્કેટ યાર્ડમાં ભીમ અગિયારસની રજા છે અને આવતીકાલે બકરી ઈદનો તહેવાર હોવાથી રજા છે, અને એ પછીનો દિવસ રવિવાર છે. આથી જાહેર રજા છે. આમ આજથી સળંગ ત્રણ દિવસ માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. જે સોમવારથી રાબેતા મુજબ શરૃ થશે.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) અને લાલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા રજાનું એલાન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial