Advertisement
Author: નોબત સમાચાર

બાકી રકમ ન ચૂકવનાર દિલ્હીની પેઢીને વ્યાજ સાથે રકમ ચૂકવવા અદાલતનો આદેશ

જામનગરની પેઢી દ્વારા કરાયો હતો દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જામનગરની એક પેઢીએ દિલ્હીની પેઢી પાસેથી બ્રાસપાર્ટના બાકી પૈસાની વસૂલાત માટે અદાલતનો આશરો લીધો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે રૃા.પ લાખ ઉપરાંતની બાકી રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા દિલ્હીની પેઢીને હુકમ કર્યાે છે.

જામનગરની રવિ બ્રાસ (ઈન્ડિયા પ્રા.લિ.)ના ડાયરેક્ટર રાજેશ જેઠાભાઈ વાછાણી પાસેથી દિલ્હીની ઓનવેલ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીએ પિત્તળનો સામાન મંગાવ્યો હતો. તે સામાનના બીલ પેટે રૃા.૫,૨૯,૬૧૯ ચૂકવવાના બાકી હતા.

તે રકમ દિલ્હીની પેઢીએ અવારનવાર ઉઘરાણી પછી પણ ન ચૂકવતા રાજેશભાઈએ જામનગરની અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે દિલ્હીની પેઢીના પ્રોપરાઈટર સુનિલકુમારને તે રકમ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે અને દાવાનો ખર્ચ પણ ચૂકવી આપવા હુકમ કર્યાે છે. જામનગરની પેઢી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા તથા પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh