Advertisement
Author: નોબત સમાચાર

સુખનાથ પાસે બની રહેલા પુલના કામમાં પાણીના વધુ નિકાલની વ્યવસ્થા કરવા માંગ

ખંભાળિયા નગર૫ાલિકા દ્વારા

ખંભાળિયા તા.૨ ઃ ખંભાળિયા પાલિકા દ્વારા સલાયા નાકા પાસે સુખનાથ મહાદેવ મંદિર પાસે પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર આલાભાઈ ગોજીયાએ પુલ અંગે રાજ્યના પ્રાદેશિક ન.પા. નિયામક, પાલિકાના હોદ્દેદારોને પુલના નાલામાંથી પાણીનો વધુ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. વરસાદમાં પૂર આવતા તેલી નદીમાં ભારે પાણી અહીં આવે છે જેથી પુલમાં નાલામાંથી નીકળતા ગંદા પાણી સુખનાથ મહાદેવ મંદિરમાં ઘૂસે છે. હાલ બનતા પુલમાં માત્ર પાંચ નાલા રખાયા છે. જેમાં પાણીનો નિકાલ વરસાદના પૂરમાં થઈ શકે તેમ નથી. વધુ નાલા પુલની નીચે બનાવીને પાણીનો વધુ નિકાલ થાય તેવું આયોજન કરવા માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh