Advertisement
Author: નોબત સમાચાર

ખીલોસ ગામના કોલેજિયન યુવાનનો અકળ કારણથી ગળાફાંસો ખાઈ આપઘાત

માત્ર દસ વર્ષના તરૃણે ગળાફાંસો ખાઈ લેતા ચકચારઃ

જામનગર તા.૨ ઃ જામનગરના ખીલોસ ગામમાં રહેતા એક કોલેજીયને કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તપાસ આરંભી છે. જ્યારે દરેડ નજીક વસવાટ કરતા પરપ્રાંતિય પરિવારના માત્ર દસ વર્ષના તરૃણે ગઈકાલે ગળાફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી છે. પોલીસે તેના પરિવારજનનું નિવેદન નોંધ્યું છે.

જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા દિનેશભાઈ વિનોદભાઈ નકુમ નામના સત્તર વર્ષના તરૃણે ગઈકાલે રાત્રિથી આજ સવાર સુધીમાં પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૃણને નીચે ઉતારી તેના પરિવારે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો.

ઉપરોક્ત તરૃણ એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનની આત્મહત્યા અંગે પોલીસને વાકેફ કરવામાં આવતા મૃતદેહને પી.એમ. માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે.

જામનગર નજીકના દરેડથી મસીતિયા જવાના રોડ પર વસવાટ કરતા મૂળ બિહારના પટણા જિલ્લાના વતની પરિવારના દસ વર્ષના પુત્ર સાહિલ રાજુભાઈએ ગઈકાલે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૃણનું પણ શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ વયમાં ઉપરોકત તરૃણે ગળાફાંસો ખાધો હોય તેનો પરિવાર સ્તબ્ધ બની ગયો છે. પોલીસને જાણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh