Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તા. ૧૧ મેના એપ્રેન્ટિસ ભરતી મેળો

વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ પસંદગીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર દ્વારા આગામી તા.૧૧-૫-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. આ મેળામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે કોન્ફરન્સ રૂમ, ત્રીજો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરમાં નિયત સમયે હાજર રહેવાનું રહેશે. આ તકનો મહત્તમ લાભ લેવા આચાર્યશ્રી આઈટીઆઈ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh