Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ઈલે. સ્મશાનનું સંચાલન કરવા પાલિકા અસક્ષમ

સ્મશાન સમિતિ ઈલે. સ્મશાનનું કરશે સંચાલનઃ

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયા નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાનમાં આધુનિક સુવિધા સાથે ઈલેકટ્રીક સ્મશાન શરૃ કરવામાં આવ્યું હતું. પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જાણકાર ટેકનીશ્યન રાખવામાં આવ્યો ન હતો, અને તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન કે જાળવણી રાખવામાં નહીં આવતા ઈલે. સ્મશાન બંધ અવસ્થામાં રહેતું હતું. આ સ્થિતિમાં ખૂદ નગરપાલિકાએ જ ઈલે. સ્મશાનના સંચાલન-વ્યવસ્થા માટે અસક્ષમતા દર્શાવી કારોબારી સમિતિમાં ઈલે. સ્મશાનનો વહીવટ અને સંચાલન કરવાની જવાબદારી સ્મશાન સમિતિને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.  સ્મશાન સમિતિના ટ્રસ્ટી જગુભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે ઈલે. સ્મશાનની સુવિધા મળશે અને લાકડાથી અગ્નિદાહ આપવાની સાથે ઈલે. સ્મશાનનો વિકલ્પ પણ લોકોને મળશે તેમજ ઈલે. સ્મશાન નિયમિત રીતે ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh