Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરના જાગૃત નાગરિક કિશોરભાઈ નથવાણીએ જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી વિરૃદ્ધ આધાર-પૂરાવા સાથે એન્ટીકરપ્શન બ્યુરોમાં વિસ્તૃત ફરિયાદ નોંધાવી છે.
તેમણે કરેલી અરજીમાં કરવામાં આવેલ આક્ષેપો સાથેની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે આ પ્રાંત અધિકારી દ્વારા ખનિજને લગતા મુદ્દે મોટા પાયે લાંચ લેવામાં આવે છે. તેઓએ અનેક ખોટા હુકમો અને ઠરાવો જેમ કે બીનખેડૂત, ખોટા ખેડૂત તથા કંપનીઓને સત્તાનો દુરપયોગ કરી સરકારની રેવન્યુ વિભાગની તિજોરીને મોટું નુક્સાન પહોંચાડ્યું છે. પવનચક્કીની કંપનીના કામ બાબતે પણ ખોટા હુકમો કરી લાખો રૃપિયાની લાંચ લીધી છે. આ પ્રાંત અધિકારી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના આધાર-પૂરાવા રજૂ કરીને તેમણે કડક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial