Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નયારા એનર્જી લિ. દ્વારા
લાલપુર તા. ૧૧ઃ વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી જામનગરના નયારા એનર્જી લિ. દ્વારા ટીબીના ૪ર દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર લાલપુરમાં યોજવામાં આવ્યો હોત.
ટીબીના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની ખૂબ જ જરૃરિયાત રહેતી હોય છે. આ મટો નયારા એનર્જી લિ. દ્વારા દર્દીને કીટ વિતરણ કરાઈ. જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને મેડિકલ ઓફિસર ડો. ધીરેન પીઠડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સુપર વાઈઝર પરેશભાઈ ભારાઈ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મકરવાણાભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ન્યુટ્રીશન કીટમાં ગ્રેઈન, આટા, મગદાળ, ચણા, સિંગતેલ, ગોળ, ચોખા જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાએ યોગદાન આપવા અપીલ કરી હતી. તેમજ દર્દીઓએ સરકારી દવાખાનામાં મળતી નિઃશુલ્ક નિદાન અને સારવારનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો. દર્દીઓએ નિયમિત દવા લેવા અને જનતાને ક્ષયના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા જિલ્લા પંચાયતના ડી.એસ.બી.સી.સી. ચિરાગભાઈ પરમાર અને તાલુકા ટીબી સુપરવાઈઝરે અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial