Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફુલીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આગામી શનિવારે રામધૂન

મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજનઃ

જામનગર તા. ૧૧ઃ શ્રી ફુલીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા 'રામ નામ કે હીરે-મોતી' ના પ્રસિદ્ધ ગાયક અશોક ભાયાણીની ભવ્ય રામધૂન સાથે લોક સાહિત્ય તથા હાસ્ય દરબારનો કાર્યક્રમ તા. ૧૩ ને  શનિવારે રાત્રે ૧૦ વાગ્યે ફુલીયા હનુમાન મંદિર, ત્રીજો ઢાળીયો, ગુલાબનગર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. રામ મંદિરના નિર્માણના ખુશાલી સાથે તથા અશકત -નિરાધાર અને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મહંત શ્રી ભરતદાસબાપુ (તાડીયા હનુમાન મંદિર-ગુલાબનગર)ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડો. વિમલભાઈ કગથરા (શહેર પ્રમુખ), નિલેશભાઈ કગથરા (સ્ટે. ચેરમેન), રાજયકક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) વિગેરે ઉપસ્થિત રહેશે તેમ નિમંત્રક વિજયભાઈ કણઝારીયા (ભૈયુ), રતુભા આર. જાડેજા અને વિજયભાઈ ખાણધર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh