Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના રણજીતસાગર રોડ પર થયેલા પ્રાણઘાતક અકસ્માતમાં સંડોવાયેલા ટ્રેક્ટર ચાલકનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પરથી હાર્દિક જયંતિભાઈ ભરડવા તથા દર્શક ઉમેશભાઈ ભરડવા ગઈ તા.૨૦-૯-૨૧ના દિને સ્કૂટરમાં જતા હતા ત્યારે એક ટ્રેક્ટર ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં સ્કૂટરચાલક હાર્દિક ભરડવાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું.
આ બાબતની પોલીસ ફરિયાદ થયા પછી લાવડીયા ગામના કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા નામના ટ્રેક્ટરચાલકની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વનરાજસિંહ આર. વાળા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial