Advertisement
Author: નોબત સમાચાર

મકાન ખાલી કરવા બાબતે યુવાનને માર મારનાર ચાર સગા ભાઈને કેદ

છ-છ મહિનાની ફટકારવામાં આવી સજાઃ

જામનગર તા. ૧૧ઃ દ્વારકામાં મકાન ખાલી કરવાના મુદ્દે થોડા સમય પહેલાં એક ભાઈને બાકીના ચાર ભાઈએ ધોકાથી માર માર્યાે હતો. તેની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે ચારેય ભાઈને છ-છ મહિનાની કેદની સજા ફટકારી છે.

દ્વારકા શહેરમાં વસવાટ કરતા રમેશભાઈ નાથાભાઈ પરમાર અને તેમના ભાઈ ભીખુભાઈ નાથાભાઈ પરમાર તેમજ કમલેશ ભીખુભાઈ, હરેશ ભીખુભાઈ, દિલીપ ભીખુભાઈ વચ્ચે મકાન ખાલી કરવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી રમેશભાઈ પર બાકીના ચાર ભાઈએ ધોકા, બેઝબોલ તથા ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. આ બાબતની રમેશભાઈએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં દ્વારકાના એડી. ચીફ જ્યુ. મેજી. કે.કે. પટેલે આરોપીઓને તક્સીરવાન ઠરાવ્યા પછી છ-છ મહિનાની કેદની સજા અને રૃા.૧ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. સરકાર તરફથી એપીપી સુનિતાબેન પરમાર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh